દ્વારકા જિલ્લામાં આજે ઝીરો કોરોના પોઝિટિવ કેસ

(કુંજન રાડિયા)જામખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ તળિયે પહોંચી ગયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર થયેલી વિગત મુજબ જિલ્લાના ચાર તાલુકાઓમાં મળી આજે કુલ 323 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં એક પણ નવો કેસ નોંધાયો નથી. આ વચ્ચે ભાણવડના એક દર્દીને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યો છે. તેમજ કોરોનાની ત્રીજી લહેરમાં જિલ્લામાં ગણ્યાગાંઠ્યા જ મૃત્યુ નોંધાયા છે અને હાલ કોરોનાનું સંક્રમણ સાવ તળિયે પહોંચી જતાં લોકોએ રાહતનો દમ ખેંચ્યો છે.