(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : હોળી-ધુળેટીના તહેવાર દરમ્યાન ઠેર-ઠેરથી પદયાત્રીઓ ચાલીને દ્વારકા દર્શનાર્થે આવે છે. આ દરમ્યાન રસ્તા પર ટ્રાફિકના કારણે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ પંડ્યાએ જાહેરનામું પ્રસિધ્ધ કરી, જિલ્લામાં તારીખ 10 થી 18 માર્ચ સુધી તમામ પ્રકારના ભારે વાહનોને લીંબડી-ગુરગઢ-દ્વારકા રોડ ઉપરથી પસાર થવાની મનાઈ ફરમાવી છે. આ તમામ પ્રકારના ભારે વાહનોએ વૈકલ્પિક રસ્તા તરીકે વાયા ભાટીયા-કુરંગા-દ્વારકા રોડનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામું ઈમરજન્સી વાહનોને તથા પોલીસ અધિક્ષક દ્વારા મંજુરી અપાયેલા ભારે વાહનોને લાગુ પડશે નહીં.
- Advertisement -
Trending Article
દ્વારકામાં મહિલા યોગ કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી
(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા યોગ કેન્દ્ર દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકા શહેરમાં ગઈકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની...
ખંભાળિયામાં ગુરુવાર અને શુક્રવારે વીજકાપ
(કુંજન રાડિયા) જામખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકામાં આવતીકાલ ગુરુવાર અને શુક્રવારે છ કલાકનો વીજકાપ મુકવામાં આવ્યો છે. ખંભાળિયા શહેર નજીક નેશનલ હાઈ-વે ઓથોરિટીના...
પેટ્રોલ-ડીઝલનો સપ્લાય બંધ કરી દેવા અંગે નયારા કંપનીનું નિવેદન જાહેર
ભાગીદારોને શિડ્યૂલ મુજબ ડીઝલ અને પેટ્રોલ બંને સપ્લાય કરતા આવ્યા છીએ અને ચાલુ રાખીશું : નયારા એનર્જી (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : સૌરાષ્ટ્રના સાતેય જિલ્લાને...