જગતમંદિરમાં ફૂલડોલ ઉત્સવને લઈને દર્શનનો સમય જાહેર

(રિશી રૂપારેલિયા) દ્વારકા : આગામી તા. 18ને શુક્રવાર ફાગણ વદ એકમના દિવસે “ફૂલડોલ ઉત્સવ” હોવાથી દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શનનો ક્રમ મંદિરની વહીવટદાર કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

તા. 17ને ગુરૂવારના રોજ હોળીના દિવસે પુર્ણિમાએ મંગલા આરતી 6 કલાકે, અનોસર (મંદિર બંધ) બપોરે 1 કલાકે એટલે કે બપોરે 1થી 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. અને સાંજે દર્શનનો સમય નિત્યક્રમ મુજબ રહેશે. આગામી તા. 18ને શુક્રવારે ફૂલડોલ ઉત્સવ નિમિત્તે શ્રીજીની મંગળા આરતી સવારે 6 કલાકે, અનોસર (મંદિર બંધ) બપોરે 1 કલાકે, ઉત્સવ આરતી બપોરે 1-30 કલાકે, ઉત્સવ દર્શન બપોરે 1-30થી 3-30 કલાક સુધી, બપોરે 3-30થી 5 મંદિર બંધ રહેશે. દર્શનનો સમય સાંજે નિત્યક્રમ મુજબ રહેશે.

જગતમંદિરમાં દર્શનના સમયની સર્વે દર્શનાર્થીઓએ નોંધ લેવા તેમજ સર્વે દર્શનાર્થીઓએ સરકારની COVI0-19 ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા યાદીમાં જણાવાયું છે.