દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના શૂન્ય થયો

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવે કોરોનાનું સંક્રમણ નહિવત્ બની ગયું છે. જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાનો એકપણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજની જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર આજે શનિવારે તમામ તાલુકાઓમાં કોરોનાનો ફિગર શૂન્ય રહ્યો છે. આજે એક દિવસમાં કુલ 292 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ પરિસ્થિતિમાં નજીકના ભવિષ્યમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો કાળીયા ઠાકોરની કૃપાથી કોરોના મુક્ત બની રહેશે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.