દ્વારકા જિલ્લામાં કોરોનાના ઝીરો પોઝિટિવ કેસ

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ રવિવારે કોરોનાનો એક પણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી. જોકે એક પણ દર્દીને ડીસ્ચાર્જ જાહેર કરાયા નથી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના 28, ખંભાળિયા તાલુકામાં 37, દ્વારકા તાલુકામાં 31 અને કલ્યાણપુર તાલુકામાં 39 મળી, કુલ 135 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં એક પણ નવો સંક્રમિત દર્દી મળ્યો નથી.