દ્વારકા જિલ્લામાં કોરોનાના ઘટતા જતા પ્રભાવથી રાહત

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનો પ્રભાવ ઘટી રહ્યો છે. જેથી, લોકો રાહત અનુભવી રહ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 48 કલાક દરમિયાન એકપણ નવો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. ગઈકાલે રવિવારે તથા શનિવારે જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાંથી ક્યાંય એકેય દર્દી નોંધાયો નથી. આ વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે રવિવારે 135 અને શનિવારે 292 મળી 427 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

આમ, છેલ્લા 48 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શૂન્ય પોઝિટિવ ફિગર વચ્ચે ડિસ્ચાર્જ પણ એકેય દર્દી જાહેર થયા નથી.