ખંભાળિયાના આહીર સિંહણ ગામે સોમવારે પહેડી મહોત્સવ

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયા – જામનગર હાઈ-વે પર આવેલા તાલુકાના આહીર સિંહણ ગામે બિરાજમાન શ્રી સંઘાયડા વાળા જખ્ખ બૌતેરા ડાડાની જગ્યામાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ વાગડના ક્ષત્રિય સંઘાર સમાજ તથા જખ્ખ બૌતેરા પહેડી સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જખ્ખ બૌતેરા ડાડાની પહેડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં આગામી સોમવાર તારીખ 21 માર્ચના રોજ સવારે 9 વાગ્યે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, સવારે 10 વાગ્યે ધ્વજારોહણ, સાંજે 5:30 વાગ્યે મહાઆરતી, 6 વાગ્યે મહાપ્રસાદી તથા રાત્રે 10 વાગ્યે ભજન સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા કલાકાર પરસોતમપરી બાપુ, નવીનભાઈ ભાટી અને રાયદેભાઈ ગઢવી જેવા પ્રખ્યાત કલાકારો ભજન-સંતવાણીની રમઝટ બોલાવશે.

આ તમામ ધાર્મિક આ પ્રસંગનો લાભ લેવા સમસ્ત સૌરાષ્ટ્ર-કચ્છ વાગડના ક્ષત્રિય સંઘાર સમાજના લોકોને શ્રી જખ્ખ બૌતેરા પહેડી સમિતિના જેસંગભાઈ સંઘાર, કેશુભાઈ સંઘાર અને ઉપેન્દ્રભાઈ સંઘાર દ્વારા અપીલ કરવામાં આવી છે.