દ્વારકામાં પદયાત્રીઓ માટે જય રણછોડ યુવક મંડળ દ્વારા સેવા કેમ્પ

દ્વારકા : દેવભૂમિ દ્વારકામાં ફૂલડોલ નિમિત્તે આવતા પદયાત્રીઓ માટે જય રણછોડ યુવક મંડળ દ્વારા 18 વર્ષથી કેમ્પ થાય છે. જેમાં જમવા, રહેવા, ચા-પાણી, કોફી તથા મેડિકલની સુવિધાઓ રાખેલ છે. અને કોઈપણ ચાર્જ વગર મફત સેવા આપવામાં આવે છે.

દ્વારકા આવતા પદયાત્રીઓ માટે જય રણછોડ યુવક મંડળ છેલ્લા ૧૮ વર્ષથી સક્રિય છે. જેમના કાર્યકરો દ્વારા સતત ૨૪ કલાક સુધી ચા, પાણી, કોફી, જમવા અને મેડિકલ સહિતની તમામ નિ:શુલ્ક સેવાઓ આપવામાં આવે છે. આ કેમ્પ દ્વારકાથી 4 કિલોમીટરના અંતરે યોજવામાં આવ્યો છે