આરંભડા ગામે સરસ્વતી શાળામાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ યોજાયો

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડા ગામે સરસ્વતી શાળામાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ યોજાયો હતો.

સંસ્કારતીર્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર સંચાલિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડા ગામે સરસ્વતી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિદ્યાલય આરંભડાની શાળામાં આજે તારીખ ૨૩-૩-૨૦૨૨ને બુધવારના રોજ ધોરણ ૧૦ તથા ૧૨ ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ યોજાયો હતો. વિદ્યાની દેવી સરસ્વતી માતાની પ્રાર્થના કરી શાળાના પ્રધાનાચાર્ય અશ્વિનભાઈ કવા દ્વારા વિધાર્થીઓને પરિક્ષા દરમિયાન કઈ કઈ કાળજી રાખવી તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી તથા પરિક્ષા દરમિયાન કોઈપણ પ્રકારનો ડર વગર પરિક્ષા આપવી તેવી વાત કરી શુભેચ્છા પાઠવી હતી તથા શાળા પરિવાર તથા શાળાના ટ્રસ્ટી તથા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાધાણી દ્વારા શુભેચ્છા પત્ર આપવામાં આવેલ હતો.

આ પ્રસંગે પધારેલ શાળાના પૂર્વ છાત્ર કુણાલભાઈ બારાઈ દ્વારા વિધાર્થીઓને બચતનું મહત્વ સમજાય એ હેતુથી મની બેંકનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા શાળાના વ્યવસ્થાપકો દ્વારા વિદ્યાર્થીઓને ગીફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા.