ખંભાળિયામાં રામનવમીની ઉજવણી અંગે આવતીકાલે ખાસ મીટીંગ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં રામનવમીની ઉજવણી પૂર્વે આવતીકાલે ખાસ મીટીંગ યોજાશે.

ખંભાળિયાની જાણીતી ધાર્મિક સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા શ્રી રામચંદ્ર ભગવાનના જન્મ મહોત્સવ “રામનવમી” નિમિત્તે ખંભાળિયા શહેરમાં ભવ્ય શોભાયાત્રા માટેની પુર્વતૈયારી અર્થેની એક બેઠક આવતીકાલે ગુરુવારે રાત્રે 9 થી 10 સુધી ખંભાળિયામાં આવેલા શ્રી પ્રેમભિક્ષુકજી મહારાજ પ્રેરીત રામધૂન મંદિર, મહાદેવ વાડામાં યોજવામાં આવી છે. જેમાં સર્વે ધર્મપ્રેમી જનતાએ ઉપસ્થિત રહેવા વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ જયસુખભાઈ મોદી તથા બજરંગદળની એક યાદીમાં જણાવાયું છે.