ખંભાળિયામાં મળી આવેલ મીઠાપુરના રહેવાસી વૃદ્ધના પુત્રીની શોધખોળ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : ખંભાળિયામાં મળી આવેલ મીઠાપુરના રહેવાસી વૃદ્ધના પુત્રીની શોધખોળ કરવામાં આવી રહી છે.

આશરે 80 વર્ષના વૃદ્ધ ગત રવિવારે તા. 20/03/2022 ના રોજ ખંભાળિયા જાહેર રસ્તા પરથી બેભાન અવસ્થામાં મળી આવેલ હતા. જેને હોસ્પિટલ પહોંચાડી સારવાર આપી ગવર્મેન્ટ હેલ્પલાઈન મારફતે જામનગર હોસ્પિટલ પહોંચાડેલ છે.

તેમનું નામ તેઓ કાશીરામ બતાવે અને તે મીઠાપુરના રહેવાસી છે અને તેની દીકરી મીઠાપુર છે. વૃદ્ધ અગાઉ પોપટ લઇ જ્યોતિષ જોઈ આપતા. બાદ ખંભાળિયા પાળેશ્વર મંદીર પાસે ભીક્ષાવૃત્તિ કરતા. આ વૃદ્ધના દીકરીનું નામ રાજવીબેન રાવલ છે, તેવું તે બતાવે છે. અને મેડિકલ હેલ્પલાઇન તેની શોધમાં છે.

આ વૃદ્ધના દીકરી જ્યા હોય અથવા તેમના કોઈ વારસદાર હોય અથવા કોઈ તેમને ઓળખતું હોય તો તાત્કાલિક પ્રથમ વોટ્સએપ નં. 98980 18818 પર કોન્ટેક કરવા વિનંતી કરાઇ છે.