ગ્રેઈન મરચન્ટ સુરજકરાડીનાં પ્રમુખ નિધન પામતા આજે બપોરથી દુકાનો બંધ રાખી શોક પળાશે

(રિશી રૂપારેલિયા) દ્વારકા : ગ્રેઈન મરચન્ટ સુરજકરાડીનાં પ્રમુખ નિધન પામતા આજે બપોરથી દુકાનો બંધ રાખી શોક પળાશે.

સ્વ. મૂકેશભાઈ હંસરાજભાઈ કાનાણી જેઓ આજીવન સુરજકરાડી માટે, લોકહીત તેમજ સામાજીક કામો માટે સતત અગ્રેસર રહેતા ઉપરાંત તેઓ ચેમ્બર આેફ કોમસૅ સુરજકરાડીનાં મંત્રી તેમજ ગ્રેઈન મરચન્ટ સુરજકરાડીનાં પ્રમુખ તેમજ માધવ પાંજરાપોળ તેમજ જલારામ મંદિર ટ્રસ્ટનાનાં ટ્રસ્ટીનું અવસાન તા. ૨૩/૦૩/૨૦૨૨ નાં રોજ થયેલ હોવાથી તા. ૨૪/૦૩/૨૦૨૨ (ગુરૂવાર) બોપોરે ૨.૦૦ વાગ્યાથી તમામ વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને શોક હડતાલમાં જોડાય તેવી નમ્ર વિનંતી સહદેવસિંહ પબુભા માણેક, પ્રમુખ ચેમ્બર આેફ કોમર્સ, સુરજકરાડીની યાદીમાં જણાવાયું છે.