હૃદયરોગના હુમલાના કારણે ભાણવડના પ્રૌઢનું અપમૃત્યુ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : હૃદયરોગના હુમલાના કારણે ભાણવડના પ્રૌઢનું અપમૃત્યુ થયું છે,

ભાણવડની દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ મુંજાભાઈ કારાવદરા નામના 56 વર્ષના મેર પ્રૌઢને હૃદયરોગનો કાતિલ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ મૃતકના પત્ની શાંતીબેન દિલીપભાઈ કારાવદરાએ ભાણવડ પોલીસને કરી છે.