ભાટિયામાં તા. 3થી ગૌમાતાના લાભાર્થે રામકથા

જલારામ મહિલા સત્સંગ મંડળ દ્વારા આયોજન

(રિશી રૂપારેલિયા) દ્વારકા : કલ્યાણપુરના ભાટિયા ખાતે આગામી તા. ૩/૪/૨૦૨૨ થી ૧૧/૪/૨૦૨૨ રામકથા યોજાશે. આ કથા જલારામ મહિલા સત્સંગ મંડળ દ્વારા ગૌસેવાના લાભાર્થે જૂની પોસ્ટ ઓફિસ સામે યોજાશે.

કલ્યાણપુરના ભાટિયામાં જલારામ મહીલા સત્સંગ મંડળ દ્વારા રામ કથાનું આયોજન ગૌ સેવાના લાભાર્થે કરેલ છે. તારીખ ૦૩/૦૪/૨૦૨૨ થી ૧૧/૦૪/૨૦૨૨ સુધી સવારે: ૦૯:૦૦ થી ૧૨:૦૦ કલાક અને સાંજે: ૦૩:૦૦ થી ૦૬:૦૦ કલાક જુની પોસ્ટ ઑફિસ સામે, જુનો કલ્યાણપુર રોડ, ભાટીયા ખાતે શ્રીરામ કથા રાખેલ છે. કથાનું રસપાન સંદીપભાઈ આરંભડીયા કરાવશે.

કથા દરમિયાન રવિવારે તારીખ ૦૩/૦૪/૨૦૨૨ના રોજ સવારે ૧૦ વાગ્યે પોથિયાત્રા (પાસપુજન) તથા રામ કથા માહાત્મ્ય, સોમવારે તારીખ ૦૪/૦૪/૨૦૨૨ ના રોજ શિવવિવાહ કથા, મંગળવારે તારીખ ૦૫/૦૪/૨૦૨૨ના રોજ રામ જન્મ સાંજે ૫ વાગ્યે, ગુરુવારે તારીખ ૦૭/૦૪/૨૦૨૨ ના રોજ રામવિવાહ કથા, શુક્રવારે તારીખ ૦૮/૦૪/૨૦૨૨ ના રોજ કેવટ પ્રસંગ કથા, શનિવારે તારીખ ૦૯/૦૪/૨૦૨૨ ના રોજ ભરત મિલાપ કથા, રવિવારે તારીખ ૧૦/૦૪/૨૦૨૨ના રોજ સબરી મિલાપ કથા, સોમવારે તારીખ ૧૧/૦૪/૨૦૨૨ ના રોજ સીતાજી મિલાપ કથા અને કથાહૃત (સાર) અને કથા વિરામ સાંજે ૫ વાગ્યે કરાશે. તો સર્વે ભાવિભક્તોને રામ કથાનું રસપાન લેવા ભાવભર્યું અને હાર્દિક આમંત્રણ છે.