ઓખામંડળના કવિની મુંબઈના સ્ક્રીન રાઇટિંગ એસોસીએશનમાં પસંદગી

(રીશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળના રહેવાસી કવિની મુંબઈના સ્ક્રીન રાઇટિંગ એસોસીએશનમાં પસંદગી કરવામાં આવી છે.

સમગ્ર ઓખામંડળ અને સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજનું ગૌરવ એવા અશોકભા એસ. માણેકની SWA (SCREEN WRITING ASSOCIATED)માં પસંદગી થઇ છે. જેની મુખ્ય ઓફિસ મુંબઈ ખાતે છે અને બોલિવૂડ, ટીવી શૉ અને વેબ્સિરીઝ, મ્યુઝિક આલ્બમ વગેરેમાં આ સંસ્થા લેખન સામગ્રી પુરી પાડે છે. અશોકભાને લેખન ક્ષેત્રે ખુબ શોખ હોય તેમજ તેઓ દ્વારા અનેક ગીતો, ભજનો, મણિયારા, દુહા, છંદ, શેર, શાયરીઓની રચના કરવામાં આવેલ છે. તેઓ ઉતરોતર પ્રગતિ કરે એવી ઠેર-ઠેરથી શુભેચ્છા આપવામાં આવી રહી છે.