ખંભાળિયાની સગીરાનુ અપહરણ કરનારા શખ્સની શોધખોળ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે રહેતા એક પરિવારની 16 વર્ષ 7 માસની વયની સગીર પુત્રીને આ જ ગામનો પ્રદીપ જેંતીલાલ રાઠોડ નામનો શખ્સ ગત તારીખ 24 મી ના રોજ રાત્રિના સમયે લલચાવી, ફોસલાવી, લગ્ન કરવાની લાલચ આપીને અપહરણ કરીને લઈ ગયો હોવાની ધોરણસર ફરિયાદ સગીરાના પિતાએ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવી છે.

આ બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 363, 366 તથા પોકસો એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ