ખંભાળિયાના યુવા કાર્યકરની અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભાના મહામંત્રી તરીકે નિયુક્તિ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના યુવા કાર્યકરની અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભાના મહામંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

ખંભાળિયાના જાણીતા ગૌસેવા અને યુવા કાર્યકર દેશુરભાઈ ગગુભાઈ ધમાની તાજેતરમાં અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભાના દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવા મહામંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અબોલ પશુઓની સેવા માટે હંમેશ સક્રિય રહેતા દેશુરભાઈ ગઢવીની કામગીરીને ધ્યાને લઈ અને શૈક્ષણિક, આર્થિક અને સામાજિક હિતોના રક્ષણ સાથે જિલ્લામાં ચારણ-ગઢવી સમાજ સંગઠીત થાય તેવી જવાબદારી સોંપવામાં આવતા દેશુરભાઈ ધમાને આ નિયુક્તિ બદલ આગેવાનો, કાર્યકરો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે.