ખંભાળિયા નજીક રીક્ષા અકસ્માતમાં મુસાફરો ઇજાગ્રસ્ત

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા-ભાણવડ ધોરીમાર્ગ પર અત્રેથી આશરે સાત કિલોમીટર દૂર માંઝા ગામના પાટીયા પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 10 ટી.ડબલ્યુ. 1173 નંબરના રિક્ષાના ચાલક અલ્તાફભાઈએ રિક્ષા પરનો કાબુ ગુમાવી દેતા આ રીક્ષા રોડની નીચે ઉતરીને પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં જઈ રહેલા ખંભાળિયાના નઝમાબેન હાજીભાઈ અલીભાઈ રૂંઝા (ઉ.વ. 35) તથા તેમની બાર વર્ષીય પુત્રી ખુશી તેમજ સાત વર્ષની પુત્રી કશીશને ફ્રેક્ચર સહિતની નાની-મોટી ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.