(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા-ભાણવડ ધોરીમાર્ગ પર અત્રેથી આશરે સાત કિલોમીટર દૂર માંઝા ગામના પાટીયા પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 10 ટી.ડબલ્યુ. 1173 નંબરના રિક્ષાના ચાલક અલ્તાફભાઈએ રિક્ષા પરનો કાબુ ગુમાવી દેતા આ રીક્ષા રોડની નીચે ઉતરીને પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં જઈ રહેલા ખંભાળિયાના નઝમાબેન હાજીભાઈ અલીભાઈ રૂંઝા (ઉ.વ. 35) તથા તેમની બાર વર્ષીય પુત્રી ખુશી તેમજ સાત વર્ષની પુત્રી કશીશને ફ્રેક્ચર સહિતની નાની-મોટી ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.
- Advertisement -
Trending Article
જામ ખંભાળિયા : જયાબેન પ્રાગજીભાઈ જાખરીયાનું અવસાન
(કુંજન રાડિયા)જામ ખંભાળિયા: મચ્છુ કઠિયા સઈ સુથાર સ્વ. પ્રાગજીભાઈ ઝીણાભાઈ જાખરીયાના ધર્મપત્ની જયાબેન (ઉ.વ. 91) તે સ્વ. નારણદાસ લાલજીભાઈ ધામેચાના બહેન તથા સ્વ. શૈલેષભાઈ...
શીવરાજપુર બીચ ખાતે આવતીકાલે યોજાશે ભવ્ય કાર્યક્રમ “સાંસ્કૃતિક અમૃત યાત્રા”
125 કલાકારો દ્વારા અદભુત મલ્ટી મીડિયા શો પણ રજુ થશે (કુંજન રાડિયા)જામ ખંભાળિયા : સમગ્ર દેશ જ્યારે આઝાદીની 75 મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે ત્યારે,...
દ્વારકાની આધેડ મહિલાનું સૌરાષ્ટ્ર મેલ ટ્રેન હડફેટે કમકમાટીભર્યું મોત
પોલીસે ઘટના અકસ્માત છે કે આપઘાત તે જાણવા તપાસ હાથ ધરી (રિશી રૂપારેલિયા) દ્વારકા : આજે સવારે 11:00 ઓખાથી ઉપડી મુંબઈ તરફ જતી સૌરાષ્ટ્ર મેલ...