પ્રધાનમંત્રીનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ શુક્રવારે યોજાશે

દ્વારકાના વિદ્યાર્થીઓ અને વાલીઓ કાર્યક્રમ નિહાળે તેવી જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યની અપીલ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા :એપ્રિલ 2022થી શરૂ થતી કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રીનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ આગામી શુક્રવાર તા.1 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યે દૂરદર્શન તથા બધા જ પ્રસારણ મિડીયાના માધ્યમથી પ્રસારીત થવાનો છે.

પ્રધાનમંત્રીનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બધા જ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સુધી પહોંચે અને સમગ્ર વાલીઓ તેમના વોટ્સઅપ, ટ્વીટર તથા ફેસબુકના માધ્યમ દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નિહાળે અને જેના પરિણામે વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષાઓ આપે તે માટે જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય દ્વારા અપીલ કરવામાં આવી છે.