માનસિક અસ્વસ્થતા વચ્ચે ભાડથરના મહિલાએ ગળાફાંસો ખાધો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા લખમાબેન વજાભાઈ રૂડાચ છેલ્લા ઘણા સમયથી ગુમસુમ રહેતા હોય અને તેમના તામસી સ્વભાવ વચ્ચે તેમણે મધરાત્રિના સમયે પોતાના ઘર પાસે આવેલા કુવા કાંઠે આવેલા ઝાડ પર નાળો બાંધી અને ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવવાની જાણ ગાંગાભાઈ કાળાભાઈ રૂડાચે અહીંની પોલીસને કરી છે.