યાત્રાધામ દ્વારકામાં બોલીવૂડ સ્ટાર સારા અલી ખાન તથા વિક્રાંત મૈસીનું આગમન

જગતમંદિર અને નાગેશ્વર મંદિરમાં દર્શન કરે તેવી શક્યતા

(રિશી રૂપારેલિયા) દ્વારકા : યાત્રાધામ દ્વારકામાં બોલીવૂડ સ્ટાર સારા અલી ખાન તથા વિક્રાંત મૈસીનું આજે આગમન થઇ ચૂક્યું છે. તેમજ તેઓ સાંજે જગતમંદિર અને નાગેશ્વર મંદિરમાં દર્શન કરવા જશે, તેવું જાણવા મળી રહ્યું છે.

જાણીતા બોલીવૂડ સ્ટાર સારા અલી ખાન, ચિત્રાંગદા સિંહ અને વિક્રાંત મૈસી છેલ્લા થોડા દિવસથી મોરબી જિલ્લામાં બોલિવૂડની મલ્ટી સ્ટારર ગેસલાઈટ ફિલ્મનું શુટીંગ કરી રહ્યા છે. ત્યારે હિન્દી સિનેમાની અભિનેત્રી સારા અલી ખાન અને અભિનેતા વિક્રાંત મૈસી આજે દ્વારકાની મુલાકાતે પહોંચી ગયા છે. તેઓએ દ્વારકાની લેમન ટ્રી હોટેલમાં ધામા નાખ્યા છે.

વધુમાં, સારા અલી ખાન, વિક્રાંત મૈસી તેમજ ફિલ્મનો સ્ટાફ સાંજે જગતમંદિરમાં શ્રીદ્વારકાધીશ અને જ્યોર્તિલિંગ નાગેશ્વર મંદિરમાં મહાદેવજીના દર્શનાર્થે જાય તેવી સંભાવના હોવાનું જાણવા મળી રહ્યું છે.