ખંભાળિયાની શાળામાં સ્વામીનારાયણ સત્સંગ કાર્યક્રમ યોજાયો

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયાની જાણીતી શૈક્ષણિક સંસ્થા સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે તાજેતરમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અહીંની જાણીતી એસ.એન.ડીટી. શાળા પરિસરમાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો સંદેશ લઈને આવેલા પૂજ્ય વિરાગકુશળ સ્વામી તથા નિજાનંદસ્વામીની ઉપસ્થિતિમાં આ શૈક્ષણિક સંસ્થાની વિવિધ શાખાઓના વિદ્યાર્થીઓએ સત્સંગનો લાભ લીધો હતો. તેઓને ઉપસ્થિત સ્વામીએ પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત મહંતોએ આદર્શ વિદ્યાર્થી કેવો હોવો જોઈએ તે બાબત ખાસ ઉદાહરણ સાથે વક્તવ્ય આપી, સંસ્થાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંસ્થાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ સાથે સંસ્થાના ટ્રસ્ટી અશોકભાઈ ગોકાણી વિગેરે સહભાગી થયા હતા. જેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.