પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે દ્વારકાના આંગણે કાલે શુક્રવારે સંતોના પુનિત પગલાં

(રિશી રૂપારેલિયા)દ્વારકા : પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે દેવભૂમિ દ્વારકાના આંગણે આવતીકાલે શુક્રવારે સંતોના પુનિત પગલાં થનાર છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૧-૪-‘૨૨ને શુક્રવારના રોજ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પવિત્ર સંતોના પાવન પગલા થશે. જે દ્વારકા ગામ માટે આનંદનો અવસર છે.

દ્વારકામાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર – જામનગર દ્વારા પ્રમુખ સ્વામી મહારાજનો સંદેશ ભક્તો સુધી પહોંચાડવા જાહેર સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભજન, સંતવાણી તથા વિશિષ્ટ વિડિયો ફિલ્મ દ્વારા પ્રેરક સંદેશનો લાભ મળશે. આ સભા હોમગાર્ડ ચોકમાં રાત્રે ૮:૩૦ કલાકે રાખવામાં આવેલ છે. ગ્રામજનોને આ અવસર નો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.