ખંભાળિયાના પરિણીત મહિલાનું ગેસની ઝાળે દાઝી જતાં મૃત્યુ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના દખણાદા બારા ગામે રહેતા જયેન્દ્રસિંહ તોગાજી જાડેજાના પત્નિ હિનાબા (ઉ.વ. 30) ગત્ તા. 24 મી ના રોજ પોતાના ઘરે રસોડામાં રસોઈ બનાવતી વખતે ગેસ ચાલુ કરવા દીવાસળી સળગાવતા ગેસનો પાઈપ લીક થતાં થયેલા ભડકાના કારણે તેણી આખા શરીરે દાઝી ગઇ હતી. જેથી તેણીને ગંભીર હાલતમાં વઘુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજયું હતું.

આ બનાવની જાણ ગોવુભા મનુભા સોઢા (રહે. લાખા બાવળ- જામનગર) એ ખંભાળિયા પોલીસને કરતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.