ઓખામાં પરપ્રાંતિય પ્રૌઢનું અપમૃત્યુ

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ઓખાના ડાલડા બંદર વિસ્તારમાં રહેતા અને મુળ મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લાના દાણુ ખાતેના રહીશ મનિયાભાઈ બાબુભાઈ દુબળા નામના 57 વર્ષના માછીમાર હળપતિ પ્રૌઢને ગત તારીખ 1 ના રોજ ડાલડા બંદર વિસ્તારમાં આવેલી એક દુકાનમાં હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ પાલઘર જિલ્લાના રહીશ હસન રવિયાભાઈ દુબળાએ ઓખા મરીન પોલીસને કરી છે.