દ્વારકામાં સિંધી સમાજ દ્વારા ઝુલેલાલ જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી

(રિશી રૂપારેલિયા)દ્વારકા : ચેટિચાંદ નિમિતે દ્વારકામાં છેલ્લા ૩૭ વર્ષથી ઝુલેલાલની જન્મજયંતિની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષ પણ સિંધી સમાજના મહિલાઓ, બાળકો અને પુરુષોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ દેવનું પૂજન-અર્ચન અને ભવ્ય શોભાયાત્રા કાઢી હતી.

ગઈકાલે ચૈત્રી બીજના પાવન દિવસે સિંધી સમાજના ઇષ્ટદેવ જુલેલાલ દેવનો જન્મદિવસ ઉજવાયો હતો. જેમાં સિંધી સમાજ દ્વારા જુલેલાલ મંદિર ખાતે સવારના વહેલા આરતી, બપોરે ભંડારો સાંજે સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજ સાથે અન્ય લોકોએ પણ ભાગ લીધો હતો. સાંજના સમયે આયો લાલ ઝુલેલાલના નામ સાથે સરઘસ દ્વારકાના મુખ્ય માર્ગો પર ફરી વળી ગોમતી ઘાટ ખાતે સંપન્ન કરાવ્યું હતું.