દ્વારકામાં સત્સંગ યોજી અપમૃત્યુને ભેટેલા તરુણને શ્રદ્ધાંજલિ અર્પણ

ચાંદ્રેગરા પરિવાર તથા પ્રજાપતિ સમાજની મહિલાઓ દ્વારા આયોજન

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકામાં ચાંદ્રેગરા પરિવાર તથા પ્રજાપતિ સમાજની મહિલાઓ દ્વારા સત્સંગ યોજી અપમૃત્યુને ભેટેલા તરુણને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ભાણવડ નજીક ત્રિવેણી નદીમાં થોડા દિવસ પહેલાં પાણીમાં જઈ મોતને ભેટેલા પ્રજાપતિ સમાજનાં ધવલ ભાણજીભાઈ ચાંદ્રેગરા (ઉ.વ.૧૭)નું અકાળે અવસાન થતાં તેની યાદમાં ચાંદ્રેગરા પરિવારે તથા પ્રજાપતિ સમાજની મહિલાઓએ ગત રવિવારે સત્સંગનું આયોજન કરી અંજલી આપી હતી. સત્સંગ દરમ્યાન રૂ. બે હજારથી પણ વધુ રકમનો ફાળો એકઠો થયો હતો. ફાળાની રકમ રૂ. ૨૧૨૧ ચાંદ્રેગરા પરિવારે તાલાળા ખાતે શ્રીબાઈ માતાજીનાં મંદિર નિર્માણ કાર્યમાં અર્પણ કરી હતી.