ખંભાળિયા શહેર ભાજપ દ્વારા ભાજપ સ્થાપના દિન નિમિત્તે હોદેદારોના ઘરે ધ્વજારોહણ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ભારતિય જનતા પાર્ટીના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા શહેર ભાજપના કાર્યકરો દ્વારા સામુહિક રીતે હોદેદારોના ઘરે જઈને ભાજપના ધ્વજથી ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતુ.

જેમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર અને પીયૂષભાઈ કણજારીયા, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, જીજ્ઞેશભાઈ પરમાર, મુકેશભાઈ કાનાણી, હિમાચલ મકવાણા, ભવ્ય ગોકાણી, અશોકભાઈ કાનાણી, બ્રિજરાજસિંહ જાડેજા, સહિતના હોદેદારો ઉપસ્થિતએ રહી, દરેક હોદેદારોના ઘરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ સાથે ભાજપના દરેક સક્રિય હોદેદારો દ્વારા પોતાના ઘર ઉપર ભાજપનો ભગવો ધ્વજ લગાવવામાં આવ્યો હતો.