દ્વારકાના રિધ્ધિ-સિધ્ધિ યુવા ગ્રુપ દ્વારા શ્રીરામ જન્મોત્સવ ઉજવાશે

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાના રિધ્ધિ-સિધ્ધિ યુવા ગ્રુપ દ્વારા શ્રીરામ જન્મોત્સવ ઉજવવામાં આવનાર છે.

દ્વારકાના રિધ્ધિ સિધ્ધિ યુવા ગ્રુપ દ્વારા રામનવમીના દિવસે દર વર્ષ મુજબ આ વર્ષે પણ શ્રીરામ જન્મોત્સવનું આયોજન રિધ્ધિ-સિધ્ધિ સોસાયટી, ગણપતિ મંદિર ખાતે કરવામાં આવેલ છે. જેમાં સવારે ૧૦:૩o કલાકે ખુલ્લે પડદે સ્નાન (અભિષેક), ૧૧:૦૦ કલાકે સત્સંગ રામધૂન, ૧૨:૦૦ કલાકે રામ જન્મોત્સવ અને આરતી રાખવામાં આવેલ છે. તો સર્વે ભક્તોએ ઉત્સવમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે