ખંભાળિયાના સલાયામાં આઠમ નિમિતે 1111 દિપના અલૌકિક દર્શનનું આયોજન

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ચૈત્રી નવરાત્રીની ખંભાળિયા તાલુકાના સલાયા પંથકમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવારને અનુલક્ષીને ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલી લોહાણા મહાજનવાડી ખાતે રઘુવંશી અગ્રણી અને શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભુવા દ્વારા ચૈત્રી આઠમને શનિવારના રોજ રાત્રે માતાજીની પ્રાચીન ગરબીની ફરતે 1111 દિપના સુંદર અને અલૌકિક દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સલાયા પંથકમાં આ પ્રકારના અલૌકિક દર્શન પહેલીવાર યોજવામાં આવ્યા છે. આ દર્શનનો લાભ લેવા સમસ્ત ધર્મપ્રેમી જનતાને આયોજક તન્ના પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.