સગાઈ તૂટી જતા વ્યથિત બનેલા દ્વારકાના યુવાને ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકાના રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા ઘનશ્યામ નગર ખાતે રહેતા દીપ મુકેશભાઈ વસંતભાઈ ગઢેચા નામના 27 વર્ષના વેપારી યુવાને ગઈકાલે શનિવારે આ વિસ્તારમાં આવેલી એસ.એમ.વી. સ્કૂલની પાછળ રહેલા એક આસામીના બંધ મકાનમાં રહેલી લોખંડની સીડીમાં સાલ બાંધીને ગળાફાંસો ખાઇ લેતા તેનો નિષ્પ્રાણ દેહ સાંપડયો હતો.

મૃતક દીપ ગઢેચાની સગાઈ આજથી આશરે બે માસ પૂર્વે તૂટી ગઈ હોવાથી આ બાબત તેને મનમાં લાગી આવતા વ્યથિત હાલતમાં તેણે આ પગલું ભરી લીધું હોવાનું મૃતકના પિતા મુકેશભાઈ વસંતભાઈ ગઢેચાએ દ્વારકા પોલીસમાં જાહેર કર્યું છે. જે અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.