સુરજકરાડી ખાતે રામનવમી નિમિત્તે ભવ્ય બાઇક રેલી યોજાઈ

દ્વારકા : દેવભૂમિ દ્વારકાના સુરજકરાડી ખાતે રામનવમી નિમિત્તે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકાના સુરજકરાડી ખાતે ભગવાન શ્રીરામના જન્મદિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં બાઈક, કાર લઈ અને ખૂબ જ મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ તથા બહેનોએ ખૂબ જ ઉત્સાહભેર લાભ લીધો હતો. જ્યારે આ બાઈક રેલી સુરજકરાડીથી લઈ જય અંબે સોસાયટી ત્યારબાદ ત્યાંથી ફરીને મીઠાપુર નીડ પીઠ પાસેથી થઈ મીઠાપુર ચાર રસ્તા પહોંચી હતી ત્યારબાદ ઝંડા ચોક, ગ્રીન બેલ્ટ, મીઠાપુર રામ મંદિરે પહોંચીને રેલી પૂર્ણ કરવામાં આવી હતી. જ્યાં તમામ લોકો દ્વારા બાર વાગ્યે ભગવાન રામના જન્મોત્સવમાં લાભ લઇ અને શ્રદ્ધાળુઓએ પ્રભુની પ્રસાદી લીધી હતી. જ્યારે આ રેલીમાં હિંદુ ભાઈઓ દ્વારા ખૂબ જ એકતા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને લોકો ભગવાનના રંગમાં રંગાઈ ગયા હતા.