દ્વારકા હેલિપેડ ખાતે રાષ્ટ્રપતિને ભાવસભર વિદાય અપાઈ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકા હેલિપેડ ખાતે રાજ્યપાલ સહિતના મહાનુભાવો દ્વારા ગઈકાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ભાવસભર વિદાય આપવામાં આવી હતી.

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગઈકાલે દ્વારકા જગતમંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે પધાર્યા હતા. દ્વારકા ખાતે દર્શન બાદ તેઓ પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે માધવપુર મેળામાં ઉપસ્થિત થવા રવાના થયા હતા. જ્યાં દ્વારકા હેલિપેડ ખાતે તેઓને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજયકક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયા, દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યા, જિલ્લા પોલિસ અધીક્ષક નિતેશ પાંડે સહિતના મહાનુભાવોએ ભાવસભર વિદાય આપી હતી.