વરવાળામાં પ્રજાપતિ કંસારા સમાજ દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ યોજાઈ

ખોડીયાર માતાજીના મંદિરે 145 મીટર જેટલી લાંબી ધ્વજા ચડાવાઈ

દ્વારકા : દ્વારકાના કંસારા પરિવાર દ્વારા પિતૃઓ તથા સુરાપુરા દાદાની મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન વરવાળા ખાતે કરવામાં આવ્યું હતું.તેમજ 145 મીટર જેટલી લાંબી ખોડીયાર માતાજીના મંદિરે ધ્વજા ચડાવવામાં આવી હતી.

દ્વારકાના વરવાળા ખાતે કંસારા પરિવાર દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું વરવાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.આ સમગ્ર ભાગવત સપ્તાહનું આયોજન પ્રજાપતિ સમાજના રમેશભાઈ ખીમાભાઈ કંસારા દ્વારા તેમના પિતૃઓ તથા સુરાપુરા દાદાની મોક્ષાર્થે કરવામાં આવેલ હતું.તેમજ તેમની ટેક અનુસાર ખોડીયાર માતાજીના મંદિરે 145 મીટર જેટલી લાંબી ધ્વજા ચડાવવામાં આવી હતી.ધ્વજાનો છેડો રમેશભાઈના ઘર સુધી પહોંચ્યો હતો.તથા વરવાળા સમગ્ર પ્રજાપતિ સમાજ માટે સમુહ ભોજનનું પણ આયોજન કરવામાં આવેલું હતું.