જામ ખંભાળિયા : પ્રીતિબેન અતુલકુમાર ભૂતનું અવસાન

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા: બ્રહ્મક્ષત્રિય અતુલકુમાર દલપતરામ ભૂતના ધર્મપત્ની પ્રીતિબેન (ઉ.વ. 52), તે શ્રેયાબેન અમરકુમાર છાંટબાર તથા રિયાબેન અતુલકુમાર ભૂતના માતૃશ્રી તારીખ 11 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા ગુરૂવાર તારીખ 14મી ના રોજ સાંજે સાડા પાંચથી છ ભાઈઓ તથા બહેનો માટે અત્રે દ્વારકા ગેઈટ ખાતે આવેલા બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ ભવન ખાતે રાખવામાં આવેલ છે.