દ્વારકાના શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રામ મંદિરે રામનવમીની ઉજવણી

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકાના શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રામ મંદિરે શ્રીરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

દ્વારકાની સેવાકીય સંસ્થા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગત તા. ૧૦-૪-‘૨૨ના રામનવમી ઉત્સવ નિમિત્તે ત્રણ બતી ચોકમાં આવેલ રામ મંદિરે શ્રીરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમા સવારે ૧૦:૦૦ વાગ્યે શ્રીરામની પૂજા તેમજ પ્રસાદી રૂપે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી છાસ વિતરણ કરવામાં આવેલ હતું. ત્યારબાદ બપોરે ૧૨:૦૦ વાગ્યે શ્રીરામ જન્મોત્સવની મહા આરતી કરવામાં આવેલ હતી. જેમાં ઉપસ્થિત સ્વામિનારયણ આશ્રમના ગોવિંદ સ્વામી તથા આગેવાનો, વેપારીઓ તથા રામભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.