ખંભાળિયામાં ચાલતી ભાગવત સપ્તાહમાં કૃષ્ણ પધાર્યા: નંદ મહોત્સવમાં શ્રોતાઓ ભાવવિભોર બન્યા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના બેઠક રોડ વિસ્તારમાં આવેલી નવી લોહાણા મહાજનવાડી ખાતે રાવલવારા કોટેચા પરિવાર દ્વારા ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં આજરોજ મંગળવારે ઢળતી સાંજે નંદ મહોત્સવના ધર્મમય કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

સુવિખ્યાત કથાકાર શાસ્ત્રી જીતેશભાઈ શુક્લના સુમધુર અને પ્રભાવશાળી કઠે કૃષ્ણ જન્મોત્સવમાં જાણે કૃષ્ણ જન્મનો તાદ્રશ્ય માહોલ ખડો થયો હતો. આકર્ષક, રોશનીસભર માહોલ વચ્ચે મટકીફોડ સહિતના આ કાર્યક્રમોમાં લોકો જોડાઈને ભાવવિભોર બન્યા હતા. ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીના ધર્મપત્ની શ્રીમતી જયશ્રીબેન નથવાણીએ પણ આ ધર્મોત્સવનો લાભ લીધો હતો.