સામાન્ય બાબતે કૌટુંબિક શખ્સ દ્વારા યુવાન ઉપર કુહાડી વડે હુમલો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના આસિયાવદર ગામે રહેતા કરસનભાઈ કારાભાઈ સિંગરખીયા નામના 28 વર્ષના યુવાનને તેમના કૌટુંબિક વિક્રમ કારાભાઈ સિંગરખીયા (ઉ.વ. 30) દ્વારા કોઈ બાબતે બોલાચાલી કરી, ઉશ્કેરાઇને ફરિયાદી કરસનભાઈ સિંગરખીયા ઉપર કુહાડી વડે હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે આઈ.પી.સી. કલમ 323, 504 અને 506 (2) મુજબ ગુનો નોંધ્યો છે.