ખંભાળિયાના પૂર્વ મામલતદાર આર.એસ. પટેલનું નિધન: રવિવારે બેસણું

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા: અમદાવાદ નિવાસી નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી અને જામ ખંભાળિયાના પૂર્વ મામલતદાર રજનીકાંતભાઈ સોમાભાઈ પટેલ (આર.એસ. પટેલ) તે શ્રવણભાઈ, પ્રણવભાઈ અને બંકિમભાઈના પિતાશ્રી તેમજ ઉમેશભાઈ સોમાભાઈ પટેલના ભાઈ તથા દેવાંશ અને દિયાનના દાદા ગુરૂવાર તારીખ 14 એપ્રિલના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું રવિવાર તારીખ 17 એપ્રિલના રોજ સર્વમંગલ હોલ, વિવેકાનંદ ચોક પાસે, મેમનગર, અમદાવાદ ખાતે સવારે 8 થી 11 દરમિયાન રાખવામાં આવ્યું છે. સાસરીપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખેલ છે.