જામરાવલમાં અનુસૂચિત જાતિ દ્વારા ડૉ. આંબેડકર જન્મજ્યંતી નિમિતે શોભાયાત્રા

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાના જામરાવલ મુકામે બંધારણના ઘડવૈયા મહામાનવ ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 131મી જન્મજયંતિ નિમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામરાવલ ગામે મહામાનવ ડૉ. આંબેડકરની 131મી જન્મજ્યંતી નિમિતે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. ગામની શાળાઓ, નગરપાલિકા વગેરે જગ્યાએ બાબાસાહેબની તસ્વીરને હારતોરા કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં તમામ અનિસૂચિત જાતિના લોકો તેમજ જામરાવલના તમામ સમાજના અગ્રણીઓએ જોડાઈને એક સામાજિક સમરસતાનું સરસ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.