જામ ખંભાળીયામાં મારુતિ ધૂન મંડળ દ્વારા હનુમાન જયંતિ નિમિતે બટુકભોજન

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળીયામાં મારુતિ ધૂન મંડળ દ્વારા હનુમાન જયંતિ નિમિતે બટુકભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામ ખંભાળીયામાં 30 વર્ષથી દર શનિવારે રામધૂન કરાવતા મારુતિ ધૂન મંડળના સુરેશભાઈ મહંત દ્વારા હનુમાનજી પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે બટુકભોજન અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકીય અને સામાજિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.