પૂર્વ ધારાસભ્યના પુત્રના હસ્તે આરંભડાના સિધ્ધનાથ મંદિરમાં નવનિર્મિત હોલનું લોકાર્પણ અને સેવાભાવીની પ્રતિમાનું અનાવરણ

(રિશી રૂપારેલિયા)દ્વારકા : આરંભડામાં આવેલ સિધ્ધનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં નવનિર્મિત હોલનું લોકાર્પણ અને સેવાભાવીની પ્રતિમાનું અનાવરણ પૂર્વ ધારાસભ્યના પુત્રના હસ્તે કરવામાં આવ્યું હતું.

ઓખા નગરપાલિકા દ્વારા આરંભડાના સિધ્ધનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં નવનિર્મિત સ્વ. હિમ્મતલાલ વિઠલાણી સ્મૃતિ હોલનું લોકાર્પણ અને સ્વ. હિમ્મતલાલ વિઠલાણીની પ્રતિમાનું અનાવરણ સહદેવસિંહ પબુભા માણેકનાં વરદ હસ્તે કરવામાં આવ્યુ હતું.