ખંભાળિયાના દત્તાણી પરિવાર દ્વારા બુધવારે રઘુવંશી જ્ઞાતિનું સમૂહ ભોજન

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયાના જાણીતા વૈભવ પાનવાળા ભાવેશભાઈ જયંતીલાલ દત્તાણી તથા રમણીકભાઈ જયંતીલાલ દત્તાણી પરિવાર દ્વારા આગામી બુધવાર તારીખ 20 એપ્રિલના રોજ રઘુવંશી જ્ઞાતિના સમૂહ ભોજન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

સ્વ. જયંતીલાલ જમનાદાસ દત્તાણીના સ્મરણાર્થે લોહાણા જ્ઞાતિજનો માટેના આ સમૂહ પ્રસાદનું આયોજન અત્રે બેઠક રોડ પર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે બહેનો માટે સાંજે 7 થી 9 તથા ભાઈઓ માટે રાત્રે 9 થી 11 સુધી કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે બુધવારે બપોરે સારસ્વત માસ્તાન સમુહ ભોજનનું પણ આયોજન કરાયું છે. આ સમગ્ર આયોજન માટે રઘુવંશી જ્ઞાતિના આગેવાનો કાર્યકરો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે. જેમાં જોડાવવા ગં.સ્વ. મંજુલાબેન જયંતીલાલ દત્તાણી પરિવાર દ્વારા સર્વે જ્ઞાતિજનોને અપીલ કરવામાં આવી છે.