નંદાણા મુકામે ઝાખરિયા પરિવાર દ્વારા સોમવારે શુરાપુરા દાદાના મંદિરે હવન

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા મુકામે સમસ્ત સચદેવ ઝાખરિયા પરિવાર દ્વારા શુરાપુરા દાદાના મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું છે.

નંદાણા મુકામે સમસ્ત સચદેવ ઝાખરિયા પરિવાર દ્વારા આગમી તા. ૨૫-૪-‘૨૨ ને સોમવારે શુરાપુરા દાદાના મંદિરે હવનનું આયોજન કરેલ છે. હવનનો પ્રારંભ સવારે ૮:૦૦ કલાકે અને હવનની પૂર્ણાહુતિ બપોરે ૨:૪૫ કલાકે કરાશે. આ હવન દ્વારકા-જામનગર હાઇવે ઉપર નંદાણા ખાતે ગૌશાળાની બાજુમાં કરાશે.

વધુ મહિતી માટે કારૂભાઈ સચદેવનો મો.નંબર ૯૯૨૫૮ ૫૬૯૭૯ અથવા રણછોડભાઈ સચદેવ મો.નં. ૯૮૨૫૨ ૭૮૮૫૬ પાર સંપર્ક કરી શકાશે. સમસ્ત સચદેવ ઝાખરિયા પરિવારે હવનમાં પધારવા ભાવભર્યું આમંત્રણ અપાયું છે.