પૂર્વ રાજ્યમંત્રી દ્વારા આવતીકાલથી ભાણવડમાં શ્રીમદ ભાગવત સપ્તાહ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ભાણવડના પૂર્વ ધારાસભ્ય તથા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા ગુરુવાર તારીખ 21 થી તા. 27 એપ્રિલ સુધી ભાણવડ તાલુકાના માનપર ગામે આવેલા આવેલી સુરાપુરા દાદાની વાડી ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

જાણીતા કથાકાર નરેશભાઈ રાજ્યગુરુ (મુંબઈ) ના વ્યાસાસને પ્રારંભ થતી આ સપ્તાહ દરમિયાન નૃસિંહ અવતાર, શ્રીરામ જન્મ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન લીલા, રુક્ષ્મણી વિવાહ બાદ કથા પરિણામ અંતે આગામી ગુરૂવાર તારીખ 28ના રોજ વિષ્ણુ હવનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

આ ધાર્મિક આયોજન દરમિયાન સવારે નવથી સાડા બાર તથા બપોરે ત્રણથી છ વાગ્યા સુધી કથા શ્રવણનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને સ્વ. હરદાસભાઈ હેભાભાઈ બેરા પરિવાર (મુળુભાઈ બેરા) દ્વારા અપીલ કરવામાં આવી છે.