(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયામાં આવતીકાલે ગુરુવારે દેવભૂમિદ્વારકા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા આયુર્વેદ અને હોમીઓપેથી નિદાન તથા સારવાર મેગા કેમ્પનું આયોજન અહીંની જી.વી.જે. હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં આયુર્વેદ, હોમીઓપેથીના નિષ્ણાતો દ્વારા નિદાન કરી સારવાર આપવામાં આવશે. આ કેમ્પ હઠીલા રોગો માટે આયુર્વેદની પ્રસિધ્ધ પંચકર્મ-અગ્નિકર્મ ચિકિત્સાનું માર્ગદર્શન આપવામાં આવશે. સાથે-સાથે સ્વસ્થ્ય જાળવણી માટે ઘર આંગણાની તથા વનૌષધિય પ્રદર્શન તથા રસોડાના ઔષધિય મસાલાની ઉપયોગીતાનું, તથા સ્વસ્થવૃત અંગેનું ચાર્ટ માર્ગદર્શન કરવામાં આવશે.
ગુજરાત રાજ્ય આયુષની કચેરી દ્વારા તૈયાર થયેલી માર્ગદર્શિકા મુજબ કોરોનાના સંદર્ભે રોગ પ્રતિકારક શક્તિવર્ધક દવાઓનું વિતરણ કરવામાં આવશે. વિશેષરૂપે પેટ, ચામડી, સાંધા, સ્ત્રીરોગ, બાળરોગ, લાઇફ સ્ટાઈલથી લગતા રોગ જેમે કે ડાયાબિટીસ, બી.પી. અને વૃદ્ધાઅવસ્થા જન્ય રોગોના દર્દીઓને વિશેષ રૂપે કેમ્પનું લાભ લેવા જિલ્લા આયુર્વેદ અધિકારીની યાદીમાં જણાવાયું છે.