ખંભાળિયાના સત્સંગ મંડળ દ્વારા આવતીકાલથી શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયાના વૈદફળી સત્સંગ મંડળ દ્વારા આવતીકાલે શુક્રવાર તારીખ 22થી શનિવાર તારીખ 29 એપ્રિલ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

અહીંના જાણીતા શાસ્ત્રી ચિરાગભાઈ શુક્લના વ્યાસાસને યોજવામાં આવેલા આ ભાગવત સપ્તાહ કાર્યક્રમમાં શુક્રવારે પોથીયાત્રા, રવિવારે કપિલ પ્રાગટ્ય, સોમવારે નૃસિંહ પ્રાગટ્ય, મંગળવારે રામ જન્મ તથા શ્રી કૃષ્ણ જન્મોત્સવ, બુધવારે ગોરધનલીલા, ગુરુવારે રૂક્ષ્મણી વિવાહ તથા શુક્રવાર તા. 29 ના રોજ સુદામા ચરિત્ર અને પરીક્ષિત મોક્ષના કાર્યક્રમ યોજાશે.

આ સપ્તાહ દરમિયાન બુધવાર તારીખ 27 ના રોજ રાત્રે સાડા નવ વાગ્યે શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અત્રે ઝવેરી બજારમાં વૈદફળી ખાતે યોજવામાં આવેલી આ સપ્તાહમાં બપોરે 3 થી સાંજે 7 સુધી કથા શ્રવણનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.