ખંભાળિયાના ગઢવી પરિવાર દ્વારા કાલે શુક્રવારે જગતમંદિરે નૂતન ધ્વજારોહણ કાર્યક્રમ

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયાના ગઢવી આગેવાન તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ વિરપારભાઈ નાગશીભાઈ ગઢવી પરિવાર દ્વારા આવતીકાલે શુક્રવાર તારીખ 22 મી ના રોજ જગત મંદિર દ્વારકાધીશજીના શિખર પર નૂતન ધ્વજારોહણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે આવતીકાલે બપોરે 3:30 વાગ્યે ધ્વજાજી પુજન બાદ શોભાયાત્રા તથા સાંજે પાંચ વાગ્યે જગતમંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવશે. આ સાથે પ્રભુ પ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં જોડાવા માટે નિમંત્રિતોને વિરપારભાઈ ગઢવી (વિશાલ ડેરી વારા) દ્વારા અપીલ કરવામાં આવી છે.