ભાણવડના મોડપર મુકામે શનિવારે કોટેચા પરિવારનો હવન

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાબેના મોડપર (ગઢવારુ) ગામે આગામી શનિવાર તારીખ 23 ના રોજ રઘુવંશી જ્ઞાતીના સમસ્ત કોટેચા પરીવારમાં પુજાતા વિર વછરાજ ડાડાના મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સવારે નવ વાગ્યે યજ્ઞનો પ્રારંભ થશે. બપોરે એક વાગ્યે બીડુ હોમાયા બાદ સમૂહ પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ આયોજનમાં સમસ્ત કોટેચા પરિવારજનો ઉપસ્થિત રહેવા તથા આ અંગેની વધુ માહિતી માટે જયદીપભાઈ વી. કોટેચા (મો. 7285024384)નો સંપર્ક સાધવા વીર વાછરા દાદા દેવસ્થાન સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી છે.