દ્વારકામાં સોમવારે નિઃશુલ્ક સદગુરુ નેત્રયજ્ઞ કેમ્પ

(રિશી રૂપારેલિયા)દ્વારકા : દ્વારકામાં સોમવારે નિઃશુલ્ક સદગુરુ નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે.

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી-દ્વારકા દ્વારા રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પીટલ રાજકોટ, માતૃશ્રી મોંધીબેન હ.વી.ગો.મે.ચે. ટ્રસ્ટ – દ્વારકા તથા એલ.આર.ગ્રુપ – દ્વારકા તથા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ, દ્વારકા તથા લોહાણા મહાજન વાડી, દ્વારકાના સંયુકત સહયોગથી ૯૨મો નિઃશુલ્ક સદગુરુ નેત્રયજ્ઞ તારીખ ૨૫/૪/૨૦૨૨ના સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ સુધી લોહાણા મહાજન વાડી, સ્વામિનારાયણ માર્ગ, દ્વારકા ખાતે યોજવામાં આવ્યો છે.

આ કેમ્પમાં આંખના નિષ્ણાંત ડૉક્ટરની ટીમ સેવા આપશે. આંખના રોગ જેવા કે મોતીયા, ઝામર, પરવાળા વગેરે દર્દોનું નિદાન કરી દવા આપવામાં આવશે. તેમજ ઓપરેશનવાળા દર્દીઓને કેમ્પના દિવસે જ રાજકોટ લઇ જઇ આધુનિક ફેફો મશીનથી નિઃશુલ્ક આંખના ઓપરેશન કરી નેત્રમણી બેસાડી પરત દ્વારકા લાવવામાં આવશે. દર્દીઓને રહેવા જમવા, લાવવા-લઇ જવાની વ્યવસ્થા વિનામુલ્યે રાખેલ છે.

કેમ્પ અંગેની માહીતી માટે અશ્વીન સી. ગોકાણી મો. ૯૮૭૯૧ ૭૭૧૪૦ અથવા દિલીપભાઇ કોટેચા-મીઠાપુર મો. ૯૮૨૪૨ ૩૮૧૬૩નો સંપર્ક કરી શકાશે.